23,24સુરહ બકરહ


PART:-17
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-23,24)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
وَ اِنۡ کُنۡتُمۡ فِیۡ رَیۡبٍ مِّمَّا نَزَّلۡنَا عَلٰی عَبۡدِنَا فَاۡتُوۡا بِسُوۡرَۃٍ مِّنۡ مِّثۡلِہٖ ۪ وَ ادۡعُوۡا شُہَدَآءَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۳﴾

23).અને જો તમને એ બાબતમાં શંકા હોય કે આ ગ્રંથ જે અમે અમારા બંદા(મહંમદ સ.અ.વ) પર અવતરિત કર્યો છે, તો આના જેવી એક જ સૂરહ બનાવી લાવો, પોતાના સૌ સમર્થકોને બોલાવી લો, એક અલ્લાહ સિવાય બાકી જેની ચાહો મદદ મેળવી લો, જો તમે સાચા છો તો આ કામ કરીને બતાવો.
➖➖➖➖➖➖➖➖➖
فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا وَ لَنۡ تَفۡعَلُوۡا فَاتَّقُوا النَّارَ الَّتِیۡ وَقُوۡدُہَا النَّاسُ وَ الۡحِجَارَۃُ ۚۖ اُعِدَّتۡ لِلۡکٰفِرِیۡنَ ﴿۲۴﴾

24).પરંતુ જો તમે આવું ન કર્યું, અને નિઃશંક ક્યારેય નથી કરી શકતા, તો ડરો તે આગથી, જેનું ઈંધણ બનશે મનુષ્ય અને પથ્થર, જે તૈયાર કરવામાં આવી છે સત્યનો ઇન્કાર કરનારાઓ માટે.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).તૌહીદ(અલ્લાહ ને એક માનવું અને તેની ઈબાદત કરવી) પછી હવે રિસાલત(ઈર્શદૂત) વિષે બતાવવામાં આવ્યું છે નબી સલ્લલ્લાહુ અલયહિ વસ્સલ્લમ પર જે કિતાબ ઉતારવામાં આવી છે તેના અવતરણ પર કોઈ શક હોય તો તમે બધા લોકો અને તમારી મદદ કરવાવાળા બધા ભેગા થઈને આના જેવી એક સુરહ પર લઈ આવો!જો તમે ના લાવી શકતા હોય તો સમજી જાવ આ અલ્લાહ નુ કલામ છે કોઈ માનવી નુ નહીં અને આ કલામ પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલિયહ વસ્સલ્લમ પર ઈમાન લઈ આવો અને એ નરક ની આગ થી બચી જાવ જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે

2).આ કુરઆન ની સત્યતા નુ સબુત છે અરબ અને તેની આસપાસ ના તમામ કાફિરો ને લલકાર્યા છે પણ આજ સુધી આનો જવાબ નથી આપી શક્યા નિ શંકા કયામત સુધી આનો જવાબ નહીં આપી શકે

માટે આ કલામ પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલિયહ વસ્સલ્લમ પર ઈમાન લઈ આવો અને એ નરક ની આગ થી બચી જાવ જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે
〰〰〰〰〰〰〰〰〰〰







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92