PART:-08 સુરહ બકરહ

*PART:-08*
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖
 اُولٰٓئِکَ عَلٰی ہُدًی مِّنۡ رَّبِّہِمۡ ٭ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۵﴾

આવા લોકો પોતાના રબ તરફથી સીધા માર્ગ ઉપર છે અને તેઓ જ સફળતા પ્રાપ્ત કરવાવાળા છે.
➖➖➖➖➖➖➖➖
 اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا سَوَآءٌ عَلَیۡہِمۡ ءَاَنۡذَرۡتَہُمۡ اَمۡ لَمۡ تُنۡذِرۡہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۶﴾

જે લોકોએ (આ વાતોને માનવાનો) ઇન્કાર કરી દીધો, તેમના માટે એક સરખું છે કે તમે તેમને ચેતવો કે ન ચેતવો, કોઈ પણ સંજોગોમાં તેઓ માનવાના નથી.
➖➖➖➖➖➖➖➖

*તફસીર (સમજૂતી)*

1) આ એવા ઈમાનવાળા લોકોની વાત કરવામાં આવી છે કે જેઓ ઈમાન લાવ્યા પછી અલ્લાહ નો ડર અને સારા કાર્યો કરે અને ઈસ્લામ ની સાચી માન્યતા પર ચાલે છે.

ખાલી ઝુબાન થી સ્વીકાર કરવું કાફી નથી પણ સાચી સફળતા એટલે પરલોકમાં અલ્લાહ ની રેહમત અને મગફિરત ના હકદાર બનવા માટે તે પ્રમાણે ની તૈયારી કરવી.


2)આ લોકો ઈમાન ના લાવવાના કારણે અભિમાન અને ગુનાહો ને વારંવાર કરવાથી તેમના દિલો માંથી સત્યને સ્વીકારવાની શક્તિ ખતમ થઈ જવાથી તેઓ ઈમાન લાવશે નહીં
  માટે તેમને સમજાવો કે ના   સમજાવો એક સરખુ જ છે


મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે. જે ગ્રુપ 01 અને 02 માં ઍડ છે તેમણે નીચે લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કર

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92