43,44: સુરહ બકરહ

PART:-27
(Quran section)

અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

(2)સુરહ બકરહ આયત:-43,44

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
〰〰〰〰〰〰〰〰〰〰
وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ ارۡکَعُوۡا مَعَ الرّٰکِعِیۡنَ ﴿۴۳﴾

43).નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને જે લોકો મારા સમક્ષ ઝૂકી રહ્યા છે તેમની સાથે તમે પણ ઝૂકી જાઓ.
➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

પછી યહુદીઓ નેે  આદેશ આપવામાં આવે છે કે  હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ  સાથે નમાઝ પઢે અને આપને
 જકાત પણ આપે, અને ઉમ્મતે મુહમ્મદિયા સાથે રુકુઅ અને સજદો માં જોડાય અને એક ઉમ્મત બનીને રહે
〰〰〰〰〰〰〰〰〰〰
اَتَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبِرِّ وَ تَنۡسَوۡنَ اَنۡفُسَکُمۡ وَ اَنۡتُمۡ تَتۡلُوۡنَ الۡکِتٰبَ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۴۴﴾

44).તમે બીજાઓને તો સદાચારનો માર્ગ અપનાવવા માટે કહો છો, પરંતુ પોતાની જાતને જ ભૂલી જાઓ છો ? જો કે તમે ગ્રંથનો પાઠ કરો છો. શું તમે બુદ્ધિથી સહેજ પણ કામ લેતા નથી ?
➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

એનો અર્થ, એહલે કિતાબ!  એટલે કે યહુદીઓ તમે આવુ કેમ કરી રહ્યા છો?  જેમ તમે બીજાને  તકવા, તહરત અને પાકીઝગી શીખવો છો. તેનો પોતે પણ અમલ કરનાર બનો. જો તમે બીજાને તમારી કિતાબ સાથે કુફ્ર કરવાથી રોકો છો, પરંતુ અલ્લાહના નબી સ.અ.વ. નો ઈનકાર કરીને પોતાની કિતાબ સાથે જ કુફ્ર કેમ કરો છે મતલબ તમે બીજાને દીન ઇસ્લામ સ્વીકારવાનું કહો છે પરંતુ સંસારિક ડર ના કારણે પોતે એકરાર નથી કરતાં
〰〰〰〰〰〰〰〰〰〰〰



Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92