39,40: સુરહ બકરહ(2)
PART:-25
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ.(2)
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
કુરઆનની આયત નં:-39,40👇
〰〰〰〰〰〰〰〰〰〰
وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۳۹﴾
39).અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે. (રુકૂઅ-૪)
➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી):-39
આદમ અ.સ.ના લીધે, તમામ માનવજાતને સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવવામાં આવે છે. અલ્લાહ કહે છે કે મારુ માર્ગદર્શન (જીવનશૈલી) પયગંબરો ધ્વારા તમારા સુધી પહોંચશે જે તેને સ્વીકારે છે, તે સ્વર્ગમાં અને અસ્વીકાર કરનારાઓ અલ્લાહની સજાને પાત્ર છે.
〰〰〰〰〰〰〰〰〰〰
یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَوۡفُوۡا بِعَہۡدِیۡۤ اُوۡفِ بِعَہۡدِکُمۡ ۚ وَ اِیَّایَ فَارۡہَبُوۡنِ ﴿۴۰﴾
40).હે ઇસરાઈલની સંતાન ! જરા વિચાર કરો મારી તે નેઅમત (કૃપા)નો જે મેં તમને પ્રદાન કરી હતી. મારા સાથે તમારો જે કરાર હતો તેને તમે પૂરો કરો, મારો જે કરાર તમારા સાથે હતો તેને હું પૂરો કરૃં, અને મારાથી જ તમે ડરો.
➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી):-40
બનિઇસ્રાએલ હઝરત યાકુબ અ.સ.નું બિરુદ હતું. યહૂદીઓને બનિઇસ્રાએલ કહેવાતુ, યાકુબ અ.સ.ના વંશજો હતા કારણ કે યાકુબ અ.સ.ના બાર પુત્રો હતા જે યહૂદીઓની બાર જાતિઓ બન્યા.અને તેમાંના મોટા ભાગના અંબિયા અને રસુલો હતા.
યહૂદીઓને અરબમાં તેમના ભૂતકાળના ઇતિહાસ અને જાણકારી અને ધર્મ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે એક વિશેષ સ્થાન હતું, તેથી તેઓ ભૂતકાળના પુરસ્કારોની યાદ અપાવતા કહે છે કે તમે તે કરાર પૂરો કરો જે તમે અંતિમ સમયના નબી પર ઈમાન લાવવાના હતા અને તેમના પર વિશ્વાસ કરવાનો હતો.
જો તમે આ કરાર પૂરો કરો છો, તો હું મારું વચન પૂરું કરીશ કે તમને તે બોજોમાંથી ઉતારી લેવામાં આવશે, જે તમારી ભૂલો અને ખામીઓના કારણે સજા તરીકે લાદવામાં આવી હતી, અને તમને પુનરુત્થાન આપવામાં આવશે. અને મારાથી ડરો કે હું તમને સતત તે અપમાનમાં રાખી શકું છું જેમાં તમે અને તમારા પૂર્વજો સહન કરે છે.
〰〰〰〰〰〰〰〰〰〰